Posts

Showing posts from January, 2026

પીએમ શ્રી પાટી પ્રાથમિક શાળાની Joyful Saturday પર ઓર્ગેનિક પાન બનાવવાની અનોખી પ્રવૃત્તિ

Image
  પીએમ શ્રી પાટી પ્રાથમિક શાળાની  Joyful Saturday પર ઓર્ગેનિક પાન બનાવવાની અનોખી પ્રવૃત્તિ પીએમ શ્રી પાટી પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જી. નવસારી ખાતે આનંદદાયી શનિવાર (Joyful Saturday) અંતર્ગત ઓર્ગેનિક પાન બનાવવાની શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓને ગુલાબની પાંખડીઓમાંથી બનતા ગુલકંદ વિશે માહિતી આપવામાં આવી અને તેનું આરોગ્યલક્ષી મહત્વ સમજાવવામાં આવ્યું. ગુલકંદની તાસીર ઠંડી હોવાથી ઉનાળામાં શરીરને ઠંડક આપે છે, હીટસ્ટ્રોકથી બચાવે છે તેમજ પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં પરંપરાગત આહાર, સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ તથા વ્યવસાયલક્ષી કૌશલ્યનો વિકાસ કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શૈક્ષણિક સાથે આનંદદાયી અનુભવ મેળવ્યો.

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
   ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રા...